May 16, 2020

” એક સુરજ ઉગાડવા માટે કેટલા બધા જણે રાત પાડવી પડે છે…” જો હું ભૂલ ન કરતી હોઉ તો ઉપરની અદ્ભુત પંક્તિ રમેશ પારેખની કોઈ કવિતામાં મુકાયેલી છે. આજે મારે એ જ રાતોની વાત કરવી છે જે સૂર્યોદયના આનંદ પાછળ ભૂલાયેલા વિષાદ સમી ઉભી છે. કેટલાક જીવન ધ્રુવતારા સમા હોય છે. એનું કાર્ય વિશ્વને માર્ગ…

May 15, 2020

આશ્ચર્યની વાત છે કે કોઈ વાર્તા એમ શરુ નથી થતી કે “ એક રાણી હતી અને એને બે રાજા હતા…માનીતો અને અણમાનીતો” “History is a Greek word which means, literally, just investigation.”- Arnold Toynbee નીચે જે ફોટો મુકેલો છે તે કવિ કલાપીના રાણી રમાબા એટલે કે રાજબાનો એકમાત્ર ઉપલબ્ધ ફોટો છે. એમને કલાપીના જીવનમાં ભજવેલી…

May 14, 2020

“એક દિવસ મારા પછીની સાંજ આથમશે. હું નહિ હોઉં પણ બાલ્કનીના પારદર્શી તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે. શરાબો અને વિષાદ, ઈતિહાસ અને અનુસંધાન, સમુદ્રો અને ભૂરું આકાશ મારા માટે શૂન્ય બની જશે, પણ ત્યારે યાદ રાખજે  એકો અહમ, દ્વિતીયો નાસ્તિ…ન ભૂતો ન ભવિષ્યતિ..”  કેટલાક શબ્દો, લેખનશૈલી એટલા યુનિક હોય છે કે નીચે લેખકનું નામ…

May 13, 2020

તમારા મતે આજ સુધી માનવ સભ્યતાના આંતરિક સંઘર્ષોમાં વપરાયેલા સૌથી વધુ ભયાનક, પરિણામગામી શસ્ત્રો કયા છે? તીર-કામઠું? ગન્સ ? બોમ્બસ? તોપ? ન્યુક્લીઅર વેપન્સ ? બની શકે કે તમે સાચા હો. પણ મારા મતે “ most dangerous weapon used by a civilization is propaganda literature.” મને લાગે છે કે આનાથી વધુ ભયંકર શસ્ત્ર હજી માનવસભ્યતા એ…

May 12, 2020

આ દેશને અત્યારે જો કોઈ સમસ્યા સૌથી વધુ પજવી રહી છે તો એ છે કટ્ટરવાદ.  તો કટ્ટરવાદ એટલે શું? જે વ્યક્તિ કે સમૂહ પોતાની જ માન્યતા સાચી અને અન્ય તમામ લોકો કે ઘટનાઓ ખોટી એવી જીદ પર સાતત્યપૂર્ણ રીતે હોય એને કટ્ટરવાદી કહેવાય. ધર્મમાં પણ કટ્ટરવાદ હોઈ શકે અને તર્કમાં પણ હોઈ શકે.  તો સૌથી…

May 11, 2020

હવે જયારે આ વિશ્વના તમામ સળગતા પ્રશ્નો પર ચર્ચા ચાલી જ રહી છે ત્યારે મને લાગે છે કે આપણને તમામને સ્પર્શતા આ મુદ્દા પર પણ ચર્ચા થઇ જ જવી જોઈએ. મિત્રોમાં સેડીસ્ટીક પ્લેઝરની કે પરપીડનની વૃતિ શા માટે હોય છે? તમે ગડથોલિયું ખાઈ જાઓ ત્યારે આસપાસના અજાણ્યા લોકો દોડી આવે છે પણ તમારો ભાઈબંધ હસતો…

May 10, 2020

કનૈયાલાલ મુનશીનું નામ ગુજરાતી સાહિત્યના ભાવકો માટે સર્વકાલીન મહાન નામોમાંનું એક છે. મુનશીએ વિપુલ સર્જન કર્યું પણ  ‘પાટણની પ્રભુતા- ગુજરાતનો નાથ –રાજાધિરાજ’ એમની ઓળખ સમી કૃતિઓ બની રહી. ‘ગુજરાતનો નાથ’ ના એક પ્રવાહના નાયક-નાયિકા છે કાક અને મંજરી.  મહદઅંશે લોકો કાક-મંજરીની ગાથાને પ્રેમકથા તરીકે પર્સીવ કરે છે, છે પણ ખરી…  પણ આ બંને પાત્રોની કથાને…

May 9, 2020

શરદબાબુની નવલકથા ‘ચરિત્રહીન’ મારી પ્રિય કૃતિઓમાંની એક છે. એના એક રસપ્રદ પાત્ર વિષે વાત કરવી છે. એ પાત્રનું નામ ‘પશુરાજ’. પશુરાજ ઉર્ફે પશુ એક બંગાળી ગૃહિણી છે. એને બાળપણમાં આવું નામ એટલે અપાયેલું કેમકે આખી શેરીના પશુઓનું પાલન કરવાની જવાબદારી એણે કોઈ અકળ કારણસર પોતાની સમજી લીધેલી. પક્ષીઓના ચણ અને માંદા પશુઓની સારવારનું દાયિત્વ આખા…